Skip to main content

શેર - હરજીવન દાફડા, આસ્વાદ - સંજુ વાળા

ફરી એક ઔર મઝાનો સંકેતવિસ્તાર.. 

ચિતાર  આપી  શકાય  એવું  સ્વરૂપ  છે  ક્યાં ,
પળે   પળે  એ   અનેક   રૂપો   ધર્યા   કરે   છે.
-હરજીવન દાફડા

એક વ્યાખ્યાનમાં મેં એવું કહેલું કે 'કવિઓએ અધ્યાત્મના માર્ગે જઇને કવિતાને નુકશાન પહોચાડ્યું છે' એની થોડી વ્યાપ્તિ કરીએ તો એમ પણ કહી શકાય કે.. ' પરંતુ જેણે અધ્યાત્મને કવિતાના માર્ગે વાળ્યું એણે સ્વાનુભવોને સાર્વત્રિકતા મળે એવી અને શાશ્વતિનું નજીકદર્શન નિરૂપી શકાય એની મથામણ પણ કરી છે.

હરજીવનજીની કેટલીક રચનાઓ આ પૈકીની છે. સંતોની વાણીના ઊંડા અભ્યાસના કારણે અને પૈતૃક ભજનભાવસંપતિના કારણે વારંવાર આ કવિ આવા પ્રદેશનો મુસાફર બને છે.

એની ખાતરી કરવી છે ?

વિચારો કે
'એનું સ્વરૂપ નક્કી નથી અથવા તો એ વારંવાર સ્વરૂપ બદલે છે' 
પરંતુ આવી ખબર કેમ પડે ? જો મૂળ સ્વરૂપની ખાતરી હોય તો કહી શકાય કે આ તો લીલારૂપ છે. પાછા કવિ એમ પણ કહે કે આનો ચિતાર આપી શકાય એમ નથી. આપણે આમ કાંઇ એકલા કવિની વાત તો ન માનીએ. કયાંક.. કોઇ પ્રમાણ તો જોઈએ. તો છે ને...

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરૂજી મારો
એનો રે બતાવું તમને દેશ
-ગંગાસતી.

અહીં પણ આજ વાત છે.
જેને નામ.. રૂપ.. નથી. જેને જન્મ/મરણ નથી. જેને જરા-વ્યાધિ નથી.
પણ
આ સંતને એની ઓળખ છે. એણે જોયો હશે. તો જ દેખાડી શકે.
આ કવિ પણ એમ કહે છે.
એક રૂપને સ્થિર કરવા મથું ત્યાં તો એ બીજું જ રૂપ ધરીને વિલાસ કરતો હોય છે.
એટલે આ સાવ જાણીતું છતાંય આંગળી ન મૂકાય એવું.. માત્ર લીલામય જે ચેતન્યરૂપ છે. એની વાત. બીજો સંકેત :
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
નરસિંહ.

અધ્યાત્મની કવિતા કરનારાઓ માટે રસ્તો સરળ છે. બે.. પાંચ ચિહ્નો વણી લે એટલે એ અને એનો ભાવક બન્ને રાજી. પણ જેને કવિતાના અધ્યાત્મની ખેવના છે એના માટે એક પંક્તિ પણ દુશ્કર.

હરજીવનમાં આવી પંક્તિઓ મળતી રહે છે. એ આપણા રાજીપાનું સ્થાનક રચે છે.

કવિ... સુકામનાઓ.

-સંજુ વાળા

Comments

Post a Comment

Popular posts from this blog

'છાલક' ઓકટોબર - ૨૦૨૨ માં પ્રગટ રચના

કહે તો ખરો.. ઇમેજ કર્ટસી - હરીશ દાસાણી

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ

ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ                    હરજીવન દાફડા તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે  અને અર્થોનો  એ જાદુ ગજબ  મળશે ગઝલ પાસે  યુગોથી તપ્ત  રણની  પ્યાસ  લઇને  તું  ભલે આવે  છિપાવે પ્યાસ પળમાં એ  પરબ મળશે ગઝલ પાસે ફકત  બેચાર   ટીપામાં   નશો  એનો   ચડી   જાતો સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે નિરાશા   જિંદગીની    ચોતરફથી    ઘેરશે   જ્યારે  નવી  આશાનું  એકાદું  સબબ  મળશે  ગઝલ પાસે ક્ષણોમાં  જીવવાનો  રંજ  ના   રહેશે   કદી  મનમાં ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે                         ઉર્વીશ વસાવડા         ( " ટહુકાનાં વન " ગઝલસંગ્રહમાંથી )           વ્યવસાયે તબીબ એવા કવિ ડૉ. ઉર્વીશ વસાવડાનું ગઝલસર્જનક્ષેત્રે જાણીતું અને માનીતું નામ છે. આ કવિ ગઝલની આંતર - બાહ્ય સ્વરૂપગત લાક્ષણિકતાઓની સારી સમજ ધરાવે છે, એમ એમના દ્વારા સર્જાતી ગઝલોના વાંચન પરથી અવશ્ય કહી શકાય. આજકાલ મહદ્ અંશે સર્જાતી અસંખ્ય ગઝલનામી રચનાઓની તુલનાએ આ કવિની સર્જકતા ગઝલની વધુ નજીક ઊભી છે એમ, એમનો " ટહુકાનાં વન " ગઝલસંગ્રહ જોતાં લાગે. અહીં આ સંગ્રહની એકમાત્ર અને પ્રસ્તુત ગઝલનો આસ્વ