ગઝલ પાસે જવાનું ડ્હાપણ દર્શાવતી ગઝલ હરજીવન દાફડા તને શબ્દોની એક નોખી અદબ મળશે ગઝલ પાસે અને અર્થોનો એ જાદુ ગજબ મળશે ગઝલ પાસે યુગોથી તપ્ત રણની પ્યાસ લઇને તું ભલે આવે છિપાવે પ્યાસ પળમાં એ પરબ મળશે ગઝલ પાસે ફકત બેચાર ટીપામાં નશો એનો ચડી જાતો સુરા એવી અલૌકિક ને અજબ મળશે ગઝલ પાસે નિરાશા જિંદગીની ચોતરફથી ઘેરશે જ્યારે નવી આશાનું એકાદું સબબ મળશે ગઝલ પાસે ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે ઉર્વીશ વસાવડા ( " ટહુકાનાં વન " ગઝલસંગ્રહમાંથી ) વ્યવસાયે તબીબ એવા કવિ ડૉ. ઉર્વીશ વસાવડાનું ગઝલસર્જનક્ષેત્રે જાણીતું અને માનીતું નામ છે. આ કવિ ગઝલની આંતર - બાહ્ય સ્વરૂપગત લાક્ષણિકતાઓની સારી સમજ ધરાવે છે, એમ એમના દ્વારા સર્જાતી ગઝલોના વાંચન પરથી અવશ્ય કહી શકાય. આજકાલ મહદ્ અંશે સર્જાતી અસંખ્ય ગઝલનામી રચનાઓની તુલનાએ આ કવિની સર્જકતા ગઝલની વધુ નજીક ઊભી છે એમ, એમનો " ટહુકાનાં વન " ગઝલસંગ્રહ જોતાં લાગે. અહીં આ સંગ્રહની એકમાત્ર અને પ્રસ્તુત ગઝલનો આસ્વ
વાહ
ReplyDeleteવાહ વાહ
ReplyDeleteVery good
ReplyDeleteવાહ વાહ વાહ.,સુંદર રચના
ReplyDeleteસુંદર ગઝલ
ReplyDeleteખૂબ ખૂબ આભાર
ReplyDelete